એવું કહેવાય છે કે જો ભોજનમાં સલાડ એટલે કે કચુંબર હોય તો જ થાળી પૂર્ણ થઇ ગણાય નહિ તો અધુરી ગણાય. તેમાં ખાસ કરીને ગુજરાતીઓ તો સલાડ, પાપડ અને અથાણાં વગેરે ના તો ખૂબ જ શોખીન હોય છે. તેને આ વસ્તુ ભોજન માં ખાય તો જ રાહત થાય. લોકો ખાસ કરીને શિયાળામાં વધારે સલાડ ખાતા હોય છે. કોઈ વ્યક્તિના શરીરમાં વિટામિનની ખામી હોય ત્યારે બધા જ ડોક્ટર સલાડ ખાવાની સલાહ આપે છે. કારણ કે સલાડમાં બધા જ વિટામિન હોય છે.
સલાડનું નામ આવતા દરેકના મનમાં કાકડી, ટમેટાં અને ગાજર આવી જાય છે. દરેક શાકની અલગ-અલગ પ્રકૃતિ હોય છે અને અલગ-અલગ પ્રકૃતિને જો ભેગી કરવામાં આવે તો શરીરમાં ઘણી બધી ગંભીર રોગો થઇ શકે છે. જો તમે સલાડમાં કાકડી અને ટામેટા ને એક સાથે સેવન કરો છો તો આજે અમે તમને જણાવીશું કે બન્નેનું સેવન સાથે કરવાથી શરીરમાં કેવા ભયંકર રોગ થઈ શકે છે. આપણે સલાડમાં કાકડી અને ટામેટા ખાઈએ છીએ. પરંતુ કાકડી અને ટામેટા સાથે ખાવાથી પેટ ભારે થાય છે. માટે તેને બંને અલગ-અલગ ખાવા જોઈએ.
સલાડ ને જમવાની સાથે ખાવા કરતાં પહેલા અથવા તો પછી ખાવું જોઈએ. આવું કરવાથી એક સાથે ભેટ ભારે પણ નથી થતું. જમતી વખતે રોટલી, શાક, દાળ-ભાત વગેરે ખાવું જોઈએ. આ ઉપરાંત સલાડમાં ઉપરથી ક્યારેય મીઠું નાખવું ન જોઈએ. લોકો એવું વિચારે કે છે કે સલાડમાં મીઠું નાખવાથી સલાડનો સ્વાદ વધી છે જશે પરંતુ આ એક સાવ ખોટી માન્યતા છે. ઉલટાનું શરીર માટે હાનિકારક સાબિત થાય છે.
સલાડમાં કાકડી અને ટામેટા અને એક સાથે ખાવાથી પાચનતંત્ર ખૂબ જ નુકસાન થાય છે. કાકડી અને ટામેટા સાથે ખાવાથી પેટ સંબંધી બીમારીઓ થવાની શરૂ થઈ જાય છે. જેમકે, ગેસ, પેટનું ફૂલવું, પેટમાં દુખાવો થવો, થાક લાગવો, અપચો થવો જેવી બિમારીઓ થઈ શકે છે. ઘણીવાર તો લોકો ટામેટા અને કાકડીમાં દહીં ભેળવીને રાયતુ બનાવીને ખાય છે. પરંતુ ટામેટા સાથે ક્યારેય દહીંનું સેવન ન કરવું જોઈએ.
સલાડ ખાવાથી પેટમાં ગેસ અને એસિડિટી થઇ શકે છે. કારણકે કાકડી અને ટમેટા બંને એકબીજાથી વિરુદ્ધ હોય છે. અને પચવામાં પણ અલગ અલગ સમય લાગતો હોય છે. એટલે પેટને લગતી સમસ્યા થઈ શકે છે. નિષ્ણાંતો ના કહ્યા પ્રમાણે કાકડીમાં વિટામિન સી હોય છે. અને શરીરને હાઈડ્રેટ રાખવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. પરંતુ ટમેટા અને કાકડીનું એકસાથે સેવન ન કરવું જોઈએ. જુઓ તમને ટમેટા અને કાકડી બંને ભાવતા હોય તો પણ એકસાથે બન્નેનું સેવન કરવું જોઈએ. એક ને બપોરે ખવાય છે અને એક ને સાંજે ખાઈ શકાય.
ભૂલથી પણ એક સાથે આ વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ નહીં.અને જો અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો બીજા લોકોને જાગૃત કરજો.તમારું એક શેર ઘણા બધાની જિંદગી બચાવી શકે છે.