સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશીલા આર્કેડમાં સીડી પાસે થયેલ શોર્ટ સર્કિટથી લાગેલી આગળ ટેરેસ ઉપરના ગેરકાયદે ડોમમાં ચાલતાં ક્લાસ સુધી પહોંચી ગઈ હતી ત્યાર બાદ અચાનક વિકરાળ બની હતી. આ પાછળનું કારણ ક્લાસના સુશોભન માટે ઉપયોગમાં લેવાયેલી ટાયર જેવી વસ્તુઓ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. સુરત અગ્નિકાંડ અંગે પોલીસ, પાલિકા, ફાયર બ્રિગેડ અને એફએસએલ દ્વારા તપાસ કરાઈ રહી છે. ક્લાસમાં આગ વધુ વિકરાળ કઈ રીતે બની એ મુદ્દો તપાસનો વિષય બન્યો હતો. ક્લાસમાં ડેકોરેશનમાં ઉયપોગમાં લેવાયેલા સાધનો જ વિદ્યાર્થીઓ માટે જીવલેણ સાબિત થયાં હોવાનું લોકોનું કહેવું છે.
અહીં વિદ્યાર્થીઓ માટે વાહનોનો ટાયરમાંથી સ્ટાઈલિશ ખુરશી અને ટેબલો બનાવી મુકવામાં આવ્યા હતા. જ્યારે થર્મોકોલ સહિતની સામગ્રીથી આખો હોલ ડેકોરેટ કરાવામાં આવ્યો હતો. પરંતુ ફાયર સેફ્ટીના નામે મીંડું હતું. આ દરમિયાન શુક્રવારે આગ ફાટી નીકળતાં હોલ પણ લપેટમાં આવી ગયો હતો.
જેને પગલે ડેકોરેટ કરેલી સાધન સામગ્રી અને ટાયરમાંથી બનાવેયલી ખુરશી અને ટેબલ સળગવા હતી અને ધૂમાડાના ગોટેગોટા નીકળ્યાં હતાંય જેને કારણે બાળકો ગૂંગળાવા સાથે ત્યાં જ ઢળી પડ્યા હતા.
અધુરા સપનાં : સુરતનો અગ્નિકાંડ ભરખી ગયો તે બાળકો: કોઈને ફેશન ડિઝાઈનર બનવું હતું તો કોઈને આર્ટિસ્ટ
સુરતની ટ્યુશન ક્લાસીસમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધી 24ભુલકાઓના મોત થયા છે. જેમાંથી આજે 19 બાળકોના એક પછી એક અગ્નિ સંસ્કાર કરવામાં આવી રહ્યું છે. આ ભીષણ અગ્નિકાંડમાં 16 ભુલકાઓ જીવતા ભૂંજાયા હતા. જ્યારે 26 થી વધુ બાળકોએ પોતાનો જીવ બચાવવા માટે ચોથા માળથી કુદકો માર્યો હતો. જેમાંથી 3નું જમીન પર પટકાતા cal નીપજ્યું હતું.મૃત બાળકોમાંથી 3નું આજે ધોરણ-12 નું રિઝલ્ટ આવ્યું છે. ઘટનામાં મૃત્યુ પામનાર 24 બાળકોમાં 17 દીકરીઓનો પણ સમાવેશ થાય છે. અગ્નિકાંડનો ભોગ બનેલા બાળકોમાં કોઈને પેઈન્ટર બનવું હતું તો કોઈને આર્ટિસ્ટ બનવું હતું. હવે આ ભુલકાઓનાતમામ સપનાં અધુરા રહી ગયા.
કોઈએ ફ્રેન્ડશિપ બેલ્ટ પરથી તો કોઈએ કાંડે બાંધેલા ધાગા પરથી વ્હાલસોયાઓને શોધ્યા
ઘટનાને સાંભળીને પરિવારજનોને ચક્કર આવી ગયા છતાં હિંમત એકઠી કરીને સ્મિમેર દોડ્યા પણ ત્યાં ભડથું થયેલા બાળકોના દેહનાં ઢગલામાંથી પોતાની વ્હાલસોયી દિકરી-દિકરાને કેમ શોધવી? બાળકોના શરીર પર જે થોડા ઘણા કપડાં દેખાતા હતા એના પરથી જ અન્ય મા-બાપની આંખો પણ પોતાના બાળકોને જ શોધી રહી હતી.
જેમાંથી કોઈ હાથ પરની ઘડિયાળ જોઈને ઓળખવાનો પ્રયાસ કરતું હતું તો કોઈ હાથ પર બાંધેલા ધાગા કે ફ્રેન્ડશિપ બેલ્ટ જોઈને પોતાના લાડકવાયાઓને શોધી રહ્યા હતા. આ દ્રશ્ય એટલું કંપાવનારું હતું કે, પિતા સુરેશભાઈએ એક ખૂણામાં ગમગીન બનીને પોક મૂકીને રડી પડ્યા હતા. તેમાંના ઘણા માતા-પિતાએ તો ભારે હૈયે કોલસો થયેલા મૃતદેદેહ પોતાના માનીને સ્વીકારી લીધા હશે…કારણ કે ઓળખ શક્ય જ ન હતી.
હેપી પાંચાણી (ઉંમર- 17 વર્ષ), ક્લાસીસમાં આગ લાગ્યા બાગ જીવ બચાવવા કૂદી પડી હતી, કિરણ હોસ્પિટલમાં દાખલ હતી, આજે સવારે 4.30 વાગ્યે મોત નીપજ્યું.
ક્રિષ્ના ભીકડીયા (ઉંમર-22 વર્ષ), આગ લાગ્યા બાદ પિતાને ફાન કર્યો- પપ્પા બધા છોકરાઓ બારીમાંથી કૂદીને નીચે જવાની કોશિશ કરી રહ્યા છે, હું પણ બારીમાંથી કુદવા જાઉં છું, જીવ બચાવવાની કોશિશ કરીશ પપ્પા…મૃતક 22 વર્ષીય ક્રિષ્ના અને તેના પપ્પા વચ્ચે થયેલી જિંદગીની આ છેલ્લી વાતચીત હતી
રૂમિ બલર, (ઉંમર-૧૭)
કૃતિ નીલેશ દયાળ (ઉંમર-૧૭)
ઋતુ સાકરીયા (ઉંમર-૧૯વર્ષ)
યેશા ખેડલા (ઉંમર- 17) આગ લાગ્યા બાદ માતાને ફોન કર્યો હતો તે સમયે કહ્યું હતું કે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ત્યારબાદ માતા અને કાકા યેશાને લેવા ગયા ત્યારસુધી યેશાનું આગમાં ભડથું થઈ ગયું હતું. આગળનો ભાગ બળી ગયો હતો
યશ્વી કેવડિયા
વૈશ્નવી કાનાણી
અંશ ઠુમર (ઉંમર- ૧૯)
ઈશા કાકડીયા (ઉંમર-૧૫)
દ્રષ્ટિ ખૂંટ (ઉંમર- ૧૮)
જાનવી વેકરિયા (ઉંમર-૧૭)
હસ્તી સુરાણી
માનસી વરસાણી (ઉંમર-૧૭)
મિત સંઘાણી (ઉંમર-૧૭)
ગ્રિષ્મા ગજેરા
જાનવી વસોયા