ગુજરાતીઓ રોજબરોજ ના ખોરાક માં મોટાભાગના લોકો ઘઉંની રોટલી જ ખાતા હોય છે. ઘઉં માં પૂરતા પ્રમાણ માં વિટામિન્સ અને પૌષ્ટિક તત્વ આપી શકે છે. જેનાથી ન માત્ર તેના સ્વાદમાં વૃ્દ્ધિ થાય છે. બધા પ્રકારના અનાજની સરખામણીમાં ઘઉંમાં પૌષ્ટિક તત્વો વધુ હોય છે. ઉપયોગીતાને કારણે જ ઘઉં અનાજનો રાજા કહેવાય છે. આપણા દેશમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. અત્યાર ના બેઠાડું જીવન અને બજારુ ખાણીપીણી ના કારણે શરીર માં અલગ અલગ રોગો થાય છે.
આપણે સૌ ઘઉં ના ફાયદા તો જાણીએ છીએ. પણ આજે અમે તમને ફણગાવેલા ઘઉં ના ફાયદા વિશે જણાવીશું. ફણગાવેલા ઘઉં માં ભરપુર પ્રમાણમાં વિટામિન્સ અને પૌષ્ટિકતત્વો આપે છે. જેનાથી ન માત્ર તેના સ્વાદમાં વૃ્દ્ધિ થાય છે. સ્પ્રાઉટ્સમાંથી શરીરને ફાઈબર મળે છે જેથી લાંબા સમય સુધી પેટ ભરેલુ રહે છે. જો તમને વજબ ઘટાડવું છે તો દરરોજ અંકુરિત ઘઉંનું સેવન કરો.
ફણગાવેલા ઘઉં નું રોજ સેવન કરવાથી હૃદયરોગ થી પીડાટ લોકો ને તરત જ રાહત મળે છે. ડોકટરો પણ હૃદય ને સ્વસ્થ રાખવા માટે ઘઉં નું સેવન કરવાની સલાહ આપતા હોય છે. ફણગાવેલા ઘઉં માં ફાઈબર ભરપૂર પ્રમાણ માં હોય છે. ફણગાવેલા ઘઉંમાં વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે. શરીરની ઉર્વરક ક્ષમતા વધારવા માટે વિટામિન ઇ એક આવશ્યક પોષક તત્વ છે. ઘઉંને અંકુરિત થવા માટે 9 થી 10 કલાક કપડામાં બાંધીને રાખવાનું છે. જેથી કોરા થયેલા ઘઉ અંકુરિત થઇ ને એક ઇંચનો થઇ જશે. હવે તમારે આ અંકુરિત ઘઉંને 7-8 દિવસ ખાવાથી તમારા શરીરમાં સારું થઈ જશે. અને હાર્ટ એટેક નહીં આવે.
ફણગાવેલા ઘઉં હૃદયનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે. એટલું જ નહિ પરંતુ હેલ્થ એક્સપર્ટ પણ હૃદયને સ્વસ્થ રાખવા માટે ફણગાવેલા ઘઉંનું સેવન કરવાની સલાહ આપે છે. ફણગાવેલા ઘઉંમાં ન્યુટ્રીશન્સનું ખુબ વધારે પ્રમાણ હોય છે જે હૃદય રોગની તકલીફો સામે રક્ષણ આપે છે.
ફણગાવેલા ઘઉંનું સેવન કરવાથી જૂનામાં જુનો કબજિયાત અને ગેસ મતે છે. કબજિયાત સામાન્ય રીતે ફાઈબર ની ઉણપ ના કારણે પણ થઇ શકે છે. અને જેથી ફણગાવેલા ઘઉં નું સેવન કરવાથી કબજીયાત ની સમસ્યા દૂર થાય છે. જે લોકોને દરેક સમયે પાચન સંબંધી સમસ્યા રહે છે એમના માટે અંકુરિત ઘઉં સારા રહે છે કારણકે આ ફાઈબરથી ભરપૂર હોય છે. આ અનાજ પાચન તંત્રને સુદૃઢ બનાવે છે.
તેમજ હૃદય રોગના જોખમો નહીવત કરવામાં મદદરૂપ સાબિત થાય છે. મોટાપો અન્ય ઘણી સમસ્યાઓને પણ જન્મ આપે છે માટે વધતું વજન અને ચરબી ઘટાડવું આવશ્યક બને છે. તે હાર્ટએટેક, ડાયાબીટીસ, લોહીની અશુદ્ધતા જેવી ખતરનાક બીમારીઓમાં રાહત રૂપ છે. અન્ય અસંખ્ય બીમારીઓની સમસ્યા માટે ફણગાવેલા ઘઉંનું સેવન વરદાન રૂપ ગણાય છે. કારણ કે ફાયબરયુક્ત આહાર લેવાથી વધતા વજનને કંટ્રોલ કરી શકાય છે.
સામાન્ય રીતે આ સમસ્યા ખાધેલા ખોરાકમાં ફાયબરની કમીના લીધે થાય છે. ફણગાવેલા ઘઉંમાં ફાઈબરની માત્રા વધારે હોય છે. તેથી તેનું સેવન કરવાથી કબજીયાત અને ગેસની સમસ્યા રહેતી નથી. આ 200 ગ્રામ ઘઉં માથી 30 થી ૩૫ ટકા ઘઉં જ અંકુરિત થાય છે. તે ઘઉં આપણને હાર્ટ એટેકથી બચાવે છે. ત્યાર બાદ ફણગાવેલા ઘઉં આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. સારા ફાઈબરયુક્ત ખોરાકનો આપણી રોગપ્રતિકારક શક્તિ પર ખુબ જ સારો પ્રભાવ જોવા મળે છે. ફણગાવેલા ઘઉં હૃદય રોગ માટે પણ ખુબ જ લાભદાયી નીવડે છે.
ફણગાવેલા ઘઉં શરીર માં રહેલ હાનિકારક કીટાણું અથવા રોગાણુઓને સાફ કરે છે અને સારા બેક્ટેરિયાને પ્રસાર કરવામાં મદદ કરે છે. માટે ફણગાવેલા ઘઉં રોગ પ્રતિકારક શક્તિ માટે ખુબ જ લાભદાયી હોય છે. ફણગાવેલા ઘઉં ડાયાબીટીસ ના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. ફણગાવેલા ઘઉંમાં ડાયટરી ફાયબર ખુબ વધારે પ્રમાણમાં જોવા મળે છે જે ભોજન બાદ બ્લડ ગ્લુકોઝની પ્રતિક્રિયાને કાર્ય કરવામાં ખુબ જ મદદ કરે છે.
ફણગાવેલા ઘઉંમાં પર્યાપ્ત માત્રામાં ફાયબર પણ હોય છે અને તેનાથી સારા પ્રમાણમાં ઉર્જા પણ મળે છે. જેના કારણે વધારે આહારની જરૂરીયાત નથી પડતી. આથી વજન ઘટાડવા માગતા હોવ તો ફણગાવેલા ઘઉંનો આહારમાં અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. તેથી સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે નિયમિત થોડા થોડા ફણગાવેલા ઘઉંનું સેવન કરવું જોઈએ.
સાંધા નાં દુખાવા મટાડવા માટે ઘઉં ખુબ જ ફાયદાકારક છે. ઘઉંની રાખ, મધ, ઘઉંનો લોટ, ઘી, દૂધ અથવા પાણી, હળદળ લેવું. ઘઉંની રાખને મધમાં મેળવીને ચાટવાથી કમર અને સાંધાનો દુખાવો સારો થઇ જાય છે. આ પ્રયોગ ઓછામાં ઓછા એક મહિના સુધી કરવાથી લાભ થાય છે.
ઘઉંની રોટલી એક બાજુ શેકીને બીજી બાજુ કાચી રહેવા દેવી. આ કાચી રોટલી ની તરફ તલનું તેલ લગાવીને કમરના દુખાવાના ભાગ પર બાંધી દેવી. આનાથી દુખાવો તરત જ દુર થઇ જશે. ઘઉંનો લોટ, ઘી, દૂધ અથવા પાણી, હરદળ આ બધાને મિક્ષ કરીને ગૅસ પર ચડવા મૂકવું. પછી આં ગરમ લેપ દુખાવાવાળા ભાગ પર લગાડવાથી ઘણી રાહત મળે છે.