મુંબઇની ગોલ્ડ મેડાલિસ્ટ MBBS ડોકટર હિનાએ પોતાનો ડોકટરીનો વ્યવસાય છોડી દિક્ષા લેવાનું નક્કી કર્યુ હતું. સન્યાસના માર્ગે જઈ રહેલ ડોકટર હિના હિંગડેનો આજે સુરત ખાતે દીક્ષા સમારોહ યોજાયો હતો. જેમા તેમણે સાંસારિક સુખનો ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવ્યો હતો. આ ઉત્સવમાં તેમના માતા-પિતા અને પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ડૉ. હીના હિંગડેનો વર્ષીદાન વરઘોડો નિકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
મુંબઈની ડોક્ટર હીનાએ સાધ્વી વિવેકમાલા શ્રીજી એટલે કે ગુરૂમાંના હાથે સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી હતી. ડો. હીનાની ઓળખ હવે સાધ્વી શ્રી વિશારદમાલા થઈ ગઈ છે.
ડોકટર હિના હિંગડે જણાવ્યુ હતુ કે ‘રૂપિયા વાળા લોકો પણ તકલીફના સમયે ગુરૂ પાસેજ આવે છે કારણ કે એમને કોઇ મોહ માયા નથી. તેઓ હંમેશા હસ્તા રહે છે એટલે જ હું આ માર્ગ પર જઇ રહી છું.