સનાતન ધર્મમાં મંદિરોની પરંપરા ખૂબ જૂની છે. દેશમાં આજે લાખો મંદિરો છે. ભારતમાં બંધાયેલા એવા ઘણા મંદિરો છે જેના આજે પણ રહસ્ય રહ્યા છે. ચાલો આપણે જાણીએ આ મંદિરોના રહસ્ય શું છે, જેને જાણવા માટેના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા…
સૌપ્રથમ જાણીશું ભગવાન જગન્નાથજીના મંદિર નું રહસ્ય શું છે?
ચોમાસાના તબક્કા વિશે માહિતી આપતા એક કાનપુર જિલ્લાના ઘાટમપુર તહસીલના બેહતા ગામે ભગવાન જગન્નાથજીનું મંદિર છે. આ મંદિરમાં ચોમાસાના આગમનના 15 દિવસ પહેલા જ મંદિરની છત પરથી પાણી ટપકવાનું શરૂ થાય છે. આને કારણે આસપાસના લોકોને વરસાદના આગમનનો ખ્યાલ આવે છે.
આ મંદિરનો ઇતિહાસ 5 હજાર વર્ષ જૂનો હોવાનું કહેવામાં આવે છે. અહીંના મંદિરમાં ભગવાન જગન્નાથ, બાલદાઉ અને બહેન સુભદ્રા છે. આ સિવાય મંદિરમાં પદ્મનાભમની મૂર્તિ પણ સ્થાપિત છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, વર્ષોથી તેઓ મંદિરના છત પરથી ટપકતા પાણીથી જ ચોમાસન આગમન થાય છે એ શોધી કાઢે છે.
જો ટીપાં ઓછો પડે તો માનવામાં આવે છે કે વરસાદ પણ ઓછો થશે. તેનાથી વિપરીત, જો વધુ અને ઝડપથી ટીપાં પડે, તો એવું માનવામાં આવે છે કે ત્યાં પુષ્કળ વરસાદ થશે. એવું કહેવામાં આવે છે કે ઘણી વખત વૈજ્ઞાનિકો અને પુરાતત્ત્વવિદોએ મંદિરમાંથી પડતા ટીપાંની તપાસ કરી છે. પરંતુ, આ રહસ્ય આજ સુધી કોઈને ખબર ના પડી કે મંદિરની છત પરથી ટપકતા પાણીનું શું રહસ્ય છે.
હવે અમે તમને જણાવીશું ગંગા મંદિરના રહસ્ય વિશે.
ગઢમુક્તેશ્વર ખાતેના પ્રાચીન ગંગા મંદિરના રહસ્ય શિવલિંગના અંકુરમાંથી નીકળતી અન્ય દેવ-દેવીઓની તસવીરો આજદિન સુધી સમજી શકાયા નથી. દર વર્ષે મંદિરમાં સ્થાપિત શિવલિંગ ઉપર એક અંકુર ઉભરે છે. જેના કારણે ભગવાન શિવ અને અન્ય દેવી-દેવતાઓની છબીઓ ઉભરી આવે છે.
આ વિષય પર પણ નોંધપાત્ર સંશોધન કાર્ય કરવામાં આવ્યું હતું, પરંતુ શિવલિંગ પરના અંકુરનું રહસ્ય આજદિન સુધી સમજાતું નથી. એટલું જ નહીં, જો મંદિરના પગથિયા પર કોઈ પથ્થર ફેંકવામાં આવે તો પાણીની અંદર પત્થર જેવો અવાજ સંભળાય છે. જાણે કે ગંગાએ મંદિરના પગથિયાંને સ્પર્શ કર્યો હોય. આવું કેમ થાય છે તે કોઈને ખબર નથી થઈ.
જાણો ઓરિસ્સાના ટિટલાગઢ ના શિવ મંદિર નું રહસ્ય શું છે?
ટિટલાગઢને ઓરિસ્સાનો સૌથી ગરમ પ્રદેશ માનવામાં આવે છે. આ સ્થળે માટીની ટેકરી છે, જેના પર એક અનોખું શિવ મંદિર સ્થાપિત થયેલ છે. ખડકાળ પથ્થરોને કારણે અહીં તીવ્ર ગરમી જોવા મળે છે. પરંતુ આ મંદિરમાં ઉનાળાની ઋતુની કોઈ અસર થતી નથી. તદુપરાંત, અહિયાં એસી કરતા ઠંડું રહે છે.
વિશેષ બાબત એ છે કે અહીં તીવ્ર તાપને કારણે ભક્તોએ મંદિર પરિસરની બહાર 5 મિનિટ ઉભા રહેવું પણ મુશ્કેલ છે, પરંતુ જ્યારે તેઓ મંદિરની અંદર પગપાળા આવે છે ત્યારે એસી કરતા પણ વધારે ઠંડી હવા અનુભવાય છે. જો કે, આ વાતાવરણ ફક્ત મંદિર પરિસર સુધી જ રહે છે. તે બહાર આવતાની સાથે જ તીવ્ર ગરમી લાગવા લાગે છે. આની પાછળનું રહસ્ય શું છે તે કોઈ પણ જાણી શક્યું નથી.
હવે આપણે જાણીશું મા ત્રિપુર સુંદરી ના મંદિર નું રહસ્ય શું છે?
‘મા ત્રિપુર સુંદરી ‘ મંદિર બિહારના બક્સરમાં આશરે 400 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. તેની સ્થાપના વિશે ઉલ્લેખ છે કે તેની સ્થાપના ભવાની મિશ્રા નામના તાંત્રિકે કરી હતી. આ મંદિરમાં પ્રવેશતા જ તમને એક અલગ પ્રકારની શક્તિનો અનુભવ થશે, પરંતુ મધ્યરાત્રિ દરમિયાન મંદિરના પરિસરમાંથી અવાજો આવવા લાગ્યા.
એવું કહેવામાં આવે છે કે આ અવાજો માતા દેવીની મૂર્તિઓ સાથે વાત કરવાથી આવે છે. નજીકના લોકો પણ આ અવાજો સ્પષ્ટ રીતે સાંભળે છે. ઘણા પુરાતત્ત્વવિદોએ મંદિરમાંથી આવતા અવાજોનો અભ્યાસ કર્યો પરંતુ પરિણામ નિરાશાજનક મકળ્યું. હાલમાં, પુરાતત્ત્વવિદો પણ માને છે કે મંદિરમાં કેટલાક અવાજો આવે છે.
ચાલો જાણીએ તમિલનાડુના એરાવતેશ્વર મંદિરના રહસ્ય વિશે.
તમિળનાડુનું એક મંદિર ‘એરાવતેશ્વર મંદિર’ છે, જે ચોળા રાજાઓ દ્વારા 12 મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ એક ખૂબ જ આશ્ચર્યજનક મંદિર છે. સંગીત અહીંનાં પગથિયાં પર ગુંજી ઉઠે છે. આ મંદિર ખૂબ જ વિશેષ સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવ્યું છે.
આ મંદિર વિશેની વિશેષ બાબત ત્રણ પગથિયા છે. જેના પર સંગીતના વિવિધ અવાજો સંભળાય છે. પરંતુ આ સંગીત પાછળનું રહસ્ય શું છે? આજ સુધી કોઈ જાની શક્યું નથી. આ મંદિર ભોળાનાથને સમર્પિત છે.
મંદિરની સ્થાપના સંબંધિત સ્થાનિક દંતકથાઓ અનુસાર, દેવતાઓના રાજા ઇન્દ્રના સફેદ હાથી ભગવાન એરાવત અહીં શિવની પૂજા કરતા હતા. આને કારણે આ મંદિરનું નામ એરાવતેશ્વર મંદિર રાખવામાં આવ્યું હતું.