માત્ર 10 જ મિનિટ માં ગમે તેવો ગેસ,કબજિયાત થી તરત જ મેળવો છુટકારો

આજ ની ફાસ્ટ અને વ્યસ્ત જિંદગી માં લોકો પોતાના શરીર નું ધ્યાન રાખી શકતા નથી. અને ધીમે ધીમે શરીર માં રોગ થવા લાગે છે. વ્યસ્ત જિંદગી માં ફાસ્ટ ફૂડ ખાવાથી પેટ ને લગતી સમસ્યા નો સામનો કરવો પડે છે. મોટા ભાગના રોગનું મૂળ કારણ પેટ જ હોય છે. જો પેટ સારું તો બધુ જ સારું એવું આપડા પૂર્વજો કહેતા હતા. કબજિયાત અને ગેસ આ બંને ખૂબ જ ખરાબ રોગ છે.

ગેસ એ એક એવી સ્થિતિ છે જે ઓડકાર આવે અને પેટમાં ગુડગુડ થયા કરે કે પછી અપાનવાયુ દુર્ગંધ હવાના રૂપમાં નીકળ્યા કરે તો નિશ્ચિતરૂપથી તમે વાયુપ્રકોપથી પીડિત છો. ક્યારેક તો ગેસ ઓડકાર થી નહીં અને અપાનવાયુ થી પણ ના નીકળે. તો ખૂબ જ પ્રોબ્લેમ થાય છે. વાયુના પ્રકોપની છુટકારો કેવી રીતે મેળવી શકાય, કેમ કે વાયુ એટલે કે ગેસસ્ટિક ટ્રબલ એક એવી સમસ્યા છે જેનાથી ફક્ત વૃદ્ધ વ્યક્તિ જ નહિ, પણ યુવા વર્ગ પણ પીડિત છે. એટલે આ વિષય પર વિસ્તારપૂર્વક વાત કરવી જરૂરી છે.ખાઇને તરત સૂવાની ટેવ હોય તો તરત જ તેનાંથી દૂર રહો. જમ્યા બાદ ચાલવાની ટેવ પાડો.

જુના માં જુનો ગેસ દુર કરવા માટે રોજ પંજરી ખાવાથી તરત જ રાહત થાય છે. પંજરી બન્નાવવા માટે ૧0 ગ્રામ સુંઠ, ૧ કપ શેકેલું જીરું, ૧ કપ શેકેલી વરીયાળી, ૧ કપ ધાણા, ૧ કપ સાકાર. બધી વસ્તુ ને મિક્સર માં ક્રશ કરી જયારે ગેસ થાય ત્યારે ખાવાથી તરત જ રાહત મળે છે.

જેમને કબજિયાત રહેતી હોય અને મળમાં ખૂબ જ દુર્ગંધ આવતી હોય એમને માટે પણ આ ઉપચાર લાભદાયી છે. આપની જમ્યા બાદ ચાલવાની ટેવ પાડશો તો ન ફક્ત એસીડીટી અને અપચાની સમસ્યાનું નિવારણ નહીં આવે પણ સાથે સાથે પેટ પર જામતી ચરબીનાં પણ ઘટશે. આંતરડાંમાં એકઠો થયેલો મળ સડવાથી કે બીજા કોઈ પણ કારણસર વાયુનો પ્રકોપ થવાથી પેટમાં શૂળ જેવો દુખાવો થાય છે.

અજમો અને જીરું ખૂબ જ ચાવી ચાવી ને ખાવાથી પેટમાં થયેલો ગેસ તરત જ શમી જાય છે. જીરું તીખું અને દુર્ગંધનાશક હોવાથી એ વાયુનો પ્રકોપ શાંત કરે છે. ઉદરમાં વાયુનો જેમને ભરાવો થયો હોય તેમને જીરું અને હરડેનું સમભાગ ચૂર્ણ કરી સવાર-સાંજ અડધીથી એક ચમચી સહેજ નવશેકા પાણી સાથે લેવું. મળ અને વાયુની શુદ્ધિ થવાથી ઉદરશૂળ મટી જશે.

એક ચમચી સુંઠ,એક ચમચી ધાણા અને થોડું મધ મિક્સ કરી ને લેવાથી ગેસ તરત જ શાંત થાય છે. લસણમાં રહેલાં તત્ત્વો પેટની સમસ્યામાંથી રાહત આપે છે. પાણીમાં લસણની કેટલીક કળીઓ ઉકાળો. હવે તેમાં મરી અને જીરું મેળવો. તેને ગાળો અને ઠંડું થયા પછી તે પીઓ. દિવસમાં બેથી ત્રણ વાર પીવાથી તમને ગેસની સમસ્યામાંથી જલદી રાહત મળી શકે છે.

છાસ થી પાચનશક્તિ સારી રહે છે. તેમાં રહેલો લેક્ટિક એસિડ ગેસ ની સમસ્યા દૂર કરે છે. વરિયાળી એ માઉથફ્રેશનર ની સાથે એ ગેસ ની સમસ્યા દૂર કરવા માં મદદરૂપ થાય છે. જમ્યા પછી જો આનું સેવન કરવા માં આવે તો પેટ ની બધી બીમારી થી રાહત મળે છે. ગેસ થાય ત્યારે હિંગવાળું પાણી પીવાથી આરામ મળે છે. આપણા પૂર્વજો એટલે જ શાક-દાળ વગેરેમાં હિંગનો વઘાર કરવાની આપણને ટેવ પાડી છે. પરંતુ હવે આપણે સ્વાદ માટે થઈને આ બધું ભૂલતા જઈએ છીએ જેથી તકલીફો ઊભી થાય છે.

વારંવાર ગેસ થતોહોય તેવા લોકોએ પોતાનું પાચન સુધરે એ માટે જમતાં પહેલાં આદુ- લીંબુના રસમાં થોડું સિંઘવ મેળવી અનુકૂળ પ્રમાણમાં પીવાની આદત પાડવી જોઇએ. જમતી વખતે બે ત્રણ કોળિયા જેટલા ભાતમાં એક ચમચી હિંગાષ્ટક અને થોડું ઘી મેળવી ખાવાથી રુચિ વધે છે, પાચન સુધરે છે અને પરિણામે વારંવાર થતી ગેસની તકલીફ પણ દૂર થઇ શકે છે.હિંગાષ્ટક જો ઘેર બનાવવું હોય તો સૂંઠ, મરી, પીપર, અજમો, સિંધવ, જીરૂ, શાહજીરૂ અને શેકેલી હિંગ આ આઠ દ્રવ્યો સરખા ભાગે લઇ બારીક ચૂર્ણ બનાવી એક શીશીમાં ભરી લેવું. જમતી વખતે બપોરે ભાત સાથે અને રાત્રે ખીચડીમાં મેળવીને એક ચમચી ચૂર્ણ અવશ્ય લેવું.

ઠંડા પાણીની જગ્યાએ હુંફાળું પાણી પીવો. જેથી પાચનશક્તિ સારી રહે છે અને ગેસ પણ થતી નથી. ગેસ ની સમસ્યા થાય તો તરત જ દૂધ વાળી ચા બંધ કરો. એની જગ્યા એ બ્લેક ટી, ગ્રીન ટી પીવાનું ચાલુ કરો. એમાં લીંબુ નો રસ ઉમેરી ને. 2 થી 3 લસણની કળીઓ ને સમારી એમાં લીંબુ નો રસ ઉમેરી ને અનેં એમા સંચળ નાખી ને ખાલી પેટે ગરમ પાણી ની ગળી જવાથી અને સાથે સાથે સવાર સાંજ ખાવાથી ગેસ ની સમસ્યાઓ થી રાહત મળે છે. પેટ માં અપચો અને બળતરા માટે છાસ વધારે ફાયદાકારક છે.

એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચપટી હિંગ મેળવો અને દિવસમાં બે-ત્રણ વાર તે પીવો. તમને ટૂંક સમયમાં આરામ મળશે. જો હિંગવાળું પાણી ન ફાવે તો હિંગમાં થોડું પાણી મેળવી તેની ચટણી તૈયાર કરો. પેટ પર તેને ઘસીને લગાડી દો. થોડી વાર સૂઈ જાવ. તમારી પેટની તકલીફ છૂમંતર થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here