ગણેશજીને ચડાવાતા પવિત્ર ઘાસ દુર્વાનો આયુર્વેદમાં ઔષધિ તરીકે ઉલ્લેખ છે. તે મોટા મોટા રોગોને જડમૂળમાંથી દૂર કરવાની શક્તિ ધરાવે છે. જાણો દુર્વાથી તમારા શરીરને કેવા અદભૂત ફાયદા થાય છે.
લોહીની ઉણપ દૂર કરે
દુર્વાના રસને લીલુ લોહી પણ કહેવામાં આવે છે. તે પીવાથી એનિમિયા અર્થાત્ લોહીની ઉણપ દૂર કરી શકાય છે. તે લોહીને સાફ કરીને રક્ત કોશિકાઓને વધારવામાં મદદરૂપ બને છે.
ત્વચાની સમસ્યામાં રાહત
દુર્વામાં એન્ટિ ઈન્ફ્લમેટરી અને એન્ટિસેપ્ટિક તત્વો રહેલા હોય છે. આ કારણે તમને ત્વચાની ખંજવાળ કે અન્ય કોઈ સમસ્યા હોય તો તેમાં પણ રાહત મળે છે. હળદરના પાવડર સાથે આ ઘાસની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવશો તો તેનાથી ત્વચાની ફોલ્લીઓ દૂર થશે.
આયુર્વેદમાં ચમત્કારી વનસ્પતિ ગણાતી દુર્વાનો સ્વાદ તૂરો-મીઠો હોય છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફાઈબર, પોટેશિયમ વગેરે ભરપૂર માત્રામાં હોય છે. તેમાં પિત્ત, કબજિયાત જેવી અનેક બીમારીઓ દૂર કરવાની ક્ષમતા રહેલી છે.
માથાના દુઃખાવામાં રાહત
આયુર્વેદના જાણકારોના મતે દુર્વા અને ચૂનાને એકસરખા પ્રમાણમાં પાણીમાં પીસી માથા પર લેપ કરવામાં આવે તો માથાના દુઃખાવામાં પણ ફાયદો થાય છે.
મોંના ચાંદામાં રાહત
દુર્વાના ઉકાળાથી કોગળા કરવાથી મોઢાના ચાંદામાં તરત જ રાહત મળે છે. તે આંખ માટે પણ ખૂબ સારી છે. દુર્વાના ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખો તેજ બને છે.
યુરિન ઈન્ફેક્શમાં ફાયદાકારક
દુર્વાના રસને મિશ્રી સાથે મિક્સ કરી પીવાથી પેશાબમાં લોહી પડતુ હોય તો રાહત મળે છે. 1 કે 2 ગ્રામ દુર્વાની પેસ્ટને દૂધમાં મિક્સ કરી ગાળીને પીવાથી યુરિન ઈન્ફેક્શનથી છૂટકારો મળે છે.
“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો અમારું પેજ લાઇક કરો અને આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો…